નાગરિક સમિતિ દ્વારા જિલ્લા તંત્રને રજુઆત કરાઇ બન્ને શ્રેષ્ઠ વૈકલ્પિક રસ્તા, તાકીદે ડામરના કરવા માટે માંગણી
દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જિલ્લા સેવા સદન જતાં બે વૈકલ્પિક માર્ગોને પાકા કરવા માટે માંગ કરવામાં આવી છે. નાગરીક સમિતિ દ્વારા જિલ્લા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. ઉપરોકત બન્ને વૈકલ્પિક રસ્તાઓ હાલ કાચા હોય તેને વાહનચાલકો અને રાહદારીઓની સુખાકારી માટે ડામરના પાકા કરવા માટે રજૂઆતમાં માંગણી પણ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં જામનગર રોડ પર આવેલી જિલ્લા સેવા સદનની કચેરીઓ કે જ્યાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારી તથા તેમના તાબાની અનેક કચેરીઓ આવેલી છે આ રસ્તા પર જવા માટે રેલ્વે ફાટક થઈને જામનગર રોડ પર થઈને જતો રસ્તો લાંબો પડતો હોય તથા ફાટક પણ નડતું હોયની સ્થિતિ હોય નાગરિક સમિતિના ડો.એચ.એન.પડીયા તથા ડો.તુષાર ગોસ્વામી દ્વારા જિલ્લા તંત્રને બે વૈકલ્પિક રસ્તાઓ જે હાલ કાચા છે તે ડામરના કરવા માંગ કરી છે.
ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠક પાસેથી આર.ટી.ઓ. કચેરી જતા રસ્તા પર લાલપુર રોડ પર થઈને રસ્તો જિલ્લા સેવા સદન જાય છે ત્યાં વર્ષોથી રેલ્વે ટ્રેક પર પુલ બનાવવાનું કાર્ય હવામાં જ હોય, પુલ ના બનતા ત્યાંથી નીચે પુલ નીચે થઈને જતો અત્યંત કાચો રસ્તો છે તથા ખાડા ટેકરા વાળો છે વાહનો ફસાય જાય તેવો છે તો ખંભાળીયામાં જામનગર રેલ્વે ફાટક પાસે જ રેલ્વે ટ્રેકને સમાંતા તથા જિલ્લા સેવા સદન જવા અત્યંત ટૂંકો રસ્તો છે.
જે વર્ષોથી કાચો અને મોટા ખાડાથી ભરપૂર હોય તેના પરથી ટુ વ્હિલર પણ માંડ નીકળે તેવી સ્થિતિ છે ત્યારે આ બન્ને રસ્તાઓ જિલ્લા સેવા સદન જવા માટેના શ્રેષ્ઠ વૈકલ્પિક રસ્તાઓ હોય તથા ટ્રાફિકને નડતર ના થાય તથા રેલ્વે ફાટક પણ ના નડે તેવા હોય તાકીદે આ રસ્તાઓ પાકા કરવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech