એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડના બંદરના વિસ્તરણ માટેની સુનાવણી સમ્પન્ન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના, ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામ ખાતે તા. ૧૪.૦૬.૨૦૨૪ના રોજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડના બંદરના વિસ્તરણ માટેની પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર શ્રી જી. ટી. પંડ્યાસાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ આ પર્યાવરણીય લોક સુનાવણીમાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી ગૌરાંગભાઈ ભટ્ટ, જીપીસીબીના અન્ય અધિકારીઓ, આસપાસના ગામોના સરપંચશ્રી અને રહીશો ઉપરાંત એસ્સાર ગ્રુપ અને આસપાસના વિસ્તારની અન્ય કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આસપાસના ગામોના રહીશોએ એસ્સારના પ્રસ્તાવિત પ્રોજેકટના ફાયદા તથા નુકસાન અંગે વિગતવાર રજુઆત કરી હતી, જેના ઉત્તર એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દાઓની ચર્ચા પૂર્ણ થતા આ લોક સુનાવણી પૂર્ણ થયેલ જાહેર કરાઈ હતી.
એસ્સાર બલ્ક ટર્મિનલ દ્વારા સંચાલિત સલાયા બંદરના વિસ્તરણ માટે ગત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ - ૨૦૨૪ દરમિયાન ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યું હતું. આ એમઓયુ અંતર્ગત એસ્સારના સલાયા બંદરની ક્ષમતા બમણી કરવા માટેનો પ્રસ્તાવ કરી આ પ્રોજેકટનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેના સંદર્ભે આ પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું. સલાયા બંદરના આ વિસ્તરણમાં રૂ. ૯૭૮૫ કરોડના ખર્ચે પાંચ મલ્ટી પરપઝ બર્થ, લિક્વિડ ટર્મિનલ અને એલએનજી ટર્મિનલની સ્થાપના સહીત અન્ય સંલગ્ન સુવિધાઓને નિર્માણની યોજના છે.
એસ્સાર ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં સન ૨૦૧૨થી ૧૨૦૦ મેગા વોટનો પાવર પ્લાન્ટ તથા સન ૨૦૧૭થી વાર્ષિક ૨૦ MMTPAની ક્ષમતા ધરાવતું બંદર ઓપેરટ કરવામાં આવી રહ્યા છે. આ એકમો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉપરાંત એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે તેના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ, શિક્ષણ અને તાલીમ, પશુધન સહયોગ, પાણીના પુરવઠા સહિતના અનેક સામાજિક કાર્યો નિયમિતરૂપે હાથ ધરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech