વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા
વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના 548 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવાર તારીખ 24 ના રોજ સવારે પ્રભાત ફેરી સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયા સ્થિત મહાપ્રભુજીની 57 ની બેઠકજી ખાતે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી દરમિયાન રાજભોગના દર્શનમાં તિલક આરતી તેમજ સાંજે ડોલરની ફુલ મંડલીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રભુજીની વિશાળ શોભાયાત્રા અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી ખાતેથી નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો કેસરી વસ્ત્રો પરિધાન કરીને જોડાયા હતા. સાંજે મહાપ્રભુજીની બેઠકજી ખાતે આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech