જન આરોગ્ય યોજના થકી મારા હ્રદયની બીમારીની સારવાર વિનામૂલ્યે થઈ
જામનગર સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોને સરકારની ૧૭ જેટલી યોજનાઓના લાભો ઘર આંગણે આપવામાં આવી રહ્યા છે. અને સમજૂતી પણ આપવામાં આવી રહી છે.
જામનગર તાલુકાના બેડ ગામના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત ભરતભાઇ કણજારીયા જણાવે છે કે, આ યોજનાનો લાભ મને મળતા દર વર્ષે ૬૦૦૦ની સહાય ૨૦૦૦ના ત્રણ હપ્તા દ્વારા સીધી મારા બેન્ક એકાઉન્ટમાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે.
આ પૈસાનો હું ખેતી માટે ઉપયોગી સાધનો, બિયારણ, જંતુનાશક દવાઓ લેવા માટે કરું છું. તે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું. આપણે આપણી આજુબાજુના લોકોને પણ સરકારની યોજનાના લાભો વિષે સમજૂતી આપવી જોઈએ. જેથી કરીને તેઓ પણ સરકારની યોજનાઓ થકી લાભાન્વિત થાય.
બીજી તરફ જામનગર તાલુકાના બેડ ગામે રહેતા ઇશાકભાઈ પુપર જણાવે છે કે, મને હ્રદયની બીમારીની હતી. જેથી હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલ તરફથી સારવારના ૨લાખ થશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ નજીકના સરકારી કેન્દ્રમાં જતાં ત્યાંનાં ડોક્ટરે મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ અંગે જાણકારી આપવામાં આવતા મેં સરકારની આ યોજનાનો લાભ લીધો અને તેમાં ૧૦ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.
મારા હ્રદયની બીમારીની સારવાર આ કાર્ડ થકી વિનામૂલ્યે થઈ છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરી તમામ લોકોને પણ નિવેદન કરું છું કે જેમની પાસે પણ આયુષ્માન કાર્ડ ન હોય તેઓ આ કાર્ડ સહેલાઈથી કઢાવી સરકારની આરોગ્યલક્ષી સેવાનો લાભ મેળવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech