ભાણવડ તાબેના કબરકા ગામે રહેતા લાલુભાઈ ઉર્ફે બાબુભાઈ રણમલભાઈ રાઠોડ નામના 40 વર્ષના યુવાનનું ખાટલાના પાયામાં સાડી વડે ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ નિપજ્યું હોવાની જાણ જીણાભાઈ ડાયાભાઈ રાઠોડએ સ્થાનિક પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારજનોએ સગાઈની ના કહેતા સુરજકરાડીના યુવાને આપઘાત કર્યો
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા નયનભાઈ નાનજીભાઈ સિંગરખીયા નામના 24 વર્ષની યુવાનને આ જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેમાં યુવતીના પરિવારજનોએ આ બંને વચ્ચે સગાઈ કરવાની ના કહી દીધી હતી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વ્યથિત અવસ્થામાં રહેતા નયનભાઈ સિંગરખીયાએ ગઈકાલે રવિવારે પોતાના ઘરે રૂમમાં રહેલા પંખામાં ઓછાડ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા જશુબેન નાનજીભાઈ સિંગરખીયાએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech