પોરબંદરમાં ગેરકાયદેસર ઝબલા વહેચતા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરીને મનપાએ ૧૦ હજારનો દંડ વસુલ્યો છે તે ઉપરાંત નાસ્તાગૃહ સહિત ફૂડચેકીંગની કામગીરી કરીને ૩૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.
ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ દ્વારા નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી,આઇસક્રીમની દુકાન, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાં આવેલ અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવેલ છે. અને આ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા ફૂડ સેફટી અંગેનું પાલન થતુ ન હોય આવા કુલ ત્રણ ધંધાર્થીઓ પાસેથી ા. ૩૦૦૦નો વહીવટીચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેકટ)ની સુચનાથી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનીટરી સબ ઇન્સ્પેકટરો દ્વારા પ્લાસ્ટિકની એજન્સી ધરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા ૧૨૦ માઇક્રોનથી ઓછી માઇક્રોન વાળી બેગ(ઝબલા) ગ્રાહકને વેચતા હોય, તેવા ૧૦ વેપારીઓને ત્યાં વહીવટીચાર્જ ા. ૧૦,૦૦૦ વસુલ કરી પ્રતિબંધિત ૫૨૫ કિલો પ્લાસ્ટિક જપ્ત કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech