ધોરીવાવ પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ

  • April 28, 2025 10:00 AM 


ખંભાળીયાની ધોરીવાવ પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષિકા ઉષાબેન ડેડાણીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભાયાભાઈ વસરાએ આ શાળામાં ઉષાબેને આપેલી 26 વર્ષની સેવાને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ઉષાબેનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બાળકોના વાલીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વંદનાબેન નકુમ દ્વારા કરવામાં આવ્યું હતું. હરદાસભાઈ કંડોરીયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે સ્વરૂચી ભોજન લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application