જામનગરનાં સોલેરિયમ 'એ' ઝોનમા આજે પાણી વિતરણ બંધ રહેશે

  • January 08, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, જેટકો દ્વારા ૨૨૦ કે.વી. મોરબી સબ સ્ટેશન ખાતે મેઈનટેનન્સની કામગીરી અન્વયે શટડાઉન હોય જેના કારણે  નર્મદા નુ પાણી ઓછુ મળવાનુ હોય તેમજ સોલેરીયમ ઝોન ની મેઈન ડ્રીસ્ટીબ્યુશન પાઈપ લાઈન માં ડેમેજ થયેલ હોય તેને રીપેરીંગની કામગીરી કરવાની છે.


આથી  સોલેરીયમ ઝોન ' એ '  હેઠળ ના વિસ્તારો માં પાણી પુરવઠો તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજ બંધ રહેશે. સોલેરિયમ ઝોન 'એ' હેઠળ આવતા વાલ્વકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી , પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર ૧ થી પ , જયંત સોસાયટી , દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશિષ , પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં.૪, પટેલવાડી વિગેરે ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application