પોરબંદરની મહિલાઓ પણ પ્રાકૃતિક કૃષિ દ્વારા બની છે પગભર

  • May 23, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી રહેલી મહિલાઓ પણ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી રહી છે.
પોરબંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જિલ્લાના મિશન મોડ માટે પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની કૃષિ સખી તરીકે તાલીમ લઈ રહેલા અણિયારી ગામનાં વતની  ટાંક વસંતાએ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ. કે, પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ લીધા બાદ ત્રણ ગામનું એક ક્લસ્ટર બનાવીને આ ત્રણ ગામના ખેડુતોને મીટીંગો, મુલાકાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનું જરૂરી જ્ઞાન આપવામાં આવશે અને વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે,ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી ફાયદાઓ, ઓછો ખર્ચ જમીનને ફળદ્રુપ બનાવવી, રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો સહિતની ખેડૂતોને પ્રાથમિક જાણકારી આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application