દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડી.વાય.એસ.પી. તરીકે નિમણૂંક

  • January 09, 2025 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રઘુવંશી સમાજના જી.પી.એસ. અધિકારી વિસ્મય માનસેતાને એસ.સી.એસ.ટી. સેલની જવાબદારી


રાજયના ગૃહ વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા ૩૭ ડી.વાય.એસ.પી.ના સામૂહિક ઓર્ડરોમાં ગીર સોમનાથ જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિસ્મયભાઈ પરેશભાઈ માનસેતાની બદલી કરવામાં આવી છે. 


જિલ્લા એસ.સી. એસ.ટી. સેલ વિભાગમાં મૂકવામાં આવેલા યુવા ડી.વાય.એસ.પી. વિસ્મયભાઈ માનસેતા વર્ષ ૨૦૧૨ માં પસંદગી પામ્યા બાદ તેમની ગાંધીનગર એકેડેમી ખાતે એક વર્ષ ટ્રેનિંગ પૂર્ણ કરીને તેમનું ફિલ્ડ ટ્રેનિંગનું પોસ્ટિંગ ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. તેમની આ કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પ્રથમ પોસ્ટિંગ તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક - એસ.સી. એસ.ટી. સેલ તરીકે આપવામાં આવ્યું છે.


મૂળ સાવરકુંડલાના વતની અને હાલ રાજકોટ રહેતા રઘુવંશી પરિવારના વિસ્મયભાઈ માનસેતાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર તેમજ રઘુવંશી જ્ઞાતિ દ્વારા આવકારવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application