૬૦ હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ: મુળુભાઇ બેરાએ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની કરી ઉજવણી
રાજ્યના વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાના ૬૦મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંરક્ષણમાં યોગદાન આપવા માટે સર્વે નાગરિકોને હાંકલ કરી હતી.
રાજ્યના વન મંત્રીશ્રીના જન્મ દિવસે પ્રારંભ થયેલ ઉમદા પહેલ માત્ર એક ઉજવણી પૂરતું સીમિત ન રહે, પરંતુ ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવાની એક મહત્ત્વાકાંક્ષી હરિયાળી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રકૃતિ માટે સમર્પિત આ અભિયાનનો આરંભ “૬૦ વર્ષ – ૬૦ વૃક્ષ” થી કરવામાં આવ્યો છે. આ ઉમદા અભિયાન હેઠળ સર્વે નાગરિકોને જોતરીને ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ અભિયાન પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે સામાન્ય નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને યુવાનોની ભાગીદારી પર કેન્દ્રિત એક જનઆંદોલન બની રહેશે. આ અભિયાનનો મુખ્ય ભાવ ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવાનો છે.
આ કાર્યક્રમ દ્વારા એક હરિત સંકલ્પ લેનાર દરેક નાગરિક, સંસ્થા અને યુવાન માટે એક અનોખો અવસર બની રહેશે અને તેઓ પર્યાવરણના રક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકશે.
આ તકે સી.સી.એફ મનીષ્વર રાજા, સી.એફ. સેંથિલકુમાર, આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી એભાભાઈ કરમુર, રસિકભાઈ નકુમ, સગાભાઈ રાવલીયા સહિત વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને આ ઉમદા અભિયાનમાં જોડાવવાનો સંકલ્પ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech