હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર બંધથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લ ા કેટલાક સમયથી રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે મુશ્કેલી વેઢવી પડતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. હળવદ તાલુકાના ઘનશ્યામપૂર અને ભલગામડા વચ્ચે આવેલ ઙ્ગાલાનુ કામ ચાલુ હોવાથી પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અહીં જે પુલનું કામ ચાલી રહ્યું છે. ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમી અવર-જવર કરવી પડી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર નું પેટનુ પાણી હલતું નથી. જો કોય મોટી ધટના બને તો જવાબદારી કોની તેવું ગ્રામજનો એ જણાવ્યું હતું. ઘનશ્યામપુર નજીક નાલાનું કામ ચાલુ હોય જેમાં કેડ સમાણા પાણી ભરાતા વિદ્યાર્થીઓનુ રેસકુયુ કરવામાં આવ્યું હતું. સામાજિક આગેવાનો દિધડીયાના હરદેવસિંહ ઝાલા તથા અર્જુનસિહ ઝાલા એ જીવના જોખમે એ 14 વિદ્યાર્થીઓને જીવના જોખમે બચાવ્યા હતા.
જ્યારે બીજી બાજુ એ સામાજિક આગેવાન દ્વારા ધારાસભ્યને કટાક્ષ કરતો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એસી ચેમ્બરમાંથી બહાર આવી લોકોની તકલીફ જોવે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડી ચોકડી નજીક બાપા સીતારામની મઢુલી અને ભીમનગરમાં માતાજીની ડેરીનું મધરાતે ડિમોલિશન
June 18, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech