બલુચિસ્તાનના કેચ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બે હિન્દુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એકને ઘાયલ કરવામાં આવ્યો હતો. આ ઘટના તુર્બત વિસ્તારમાં બની હતી.
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના કેચ જિલ્લાના તુર્બત વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ બે હિન્દુઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી. આ ઘટનામાં હરિ લાલ અને મોતી લાલ નામના બે હિન્દુ વેપારીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે શેરોમલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે બે મોટરસાઇકલ પર આવેલા માસ્ક પહેરેલા માણસોએ બજાર નજીક ચાર લોકો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં ચાર લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં બે હિન્દુઓના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ડીઆઈજી અર્સલાન ખોખરે તેને લક્ષ્યાંકિત હુમલો ગણાવ્યો અને કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ બળવાખોર કે આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
વેપાર વિવાદ કે આતંકવાદી હુમલો?
એક અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી કે આ ઘટના વ્યવસાયિક વિવાદનું પરિણામ હોઈ શકે છે કારણ કે માયર્િ ગયેલા લોકો શ્રીમંત ઉદ્યોગપતિઓ હતા. જોકે બલૂચિસ્તાનમાં આતંકવાદી જૂથો ઘણીવાર સુરક્ષા દળો અને ચીની નાગરિકોને નિશાન બનાવે છે, પરંતુ લઘુમતી સમુદાય સામે આવી હિંસા ભાગ્યે જ જોવા મળે છે. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ ઘટનાની સખત નિંદા કરી હતી અને પોલીસને જવાબદારોને તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
હત્યાની અન્ય એક ઘટના બુલેડામાં બની
દરમિયાન, બલુચિસ્તાનના બુલેડા વિસ્તારમાં બીજી એક ઘટના બની જ્યાં બંદૂકધારીઓએ મુહમ્મદ હયાત નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પાકિસ્તાનમાં સ્થિત બલુચિસ્તાન ખૂબ જ સંવેદનશીલ સ્થળ છે. આતંકવાદીઓ અહીં દરરોજ હુમલા કરતા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરબાર ગઢ, બર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા ફરી દબાણ હટાવ કામગીરી
May 01, 2025 05:05 PMખંભાળિયાની જર્નાલિસ્ટે વધુ એક વખત વધાર્યું રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ
May 01, 2025 04:56 PMરાજકોટ સિટી બસ સ્ટોપ પરથી નોનવેજ ફૂડની જાહેરાત હટાવી, અર્ધ નગ્ન એડના હોર્ડિંગ્સ પણ હટશે
May 01, 2025 04:49 PMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન ૩૮ ડીગ્રી
May 01, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech