ગુજરાતમાં બેરોજગાર યુવનો અવારનવાર અનોખો વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આવો જ એક અનોખો વિરોધ નર્મદાના એકતાનગર ખાતે આવેલા ગોરા ગામે જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનાવતા પહેલાં સરકારે કટ ઓફ ડેટમાં નોકરી આપવાનું વચન આપ્યાનો ત્રણ યુવાને દાવો કર્યો છે. પરંતુ સરકારે નોકરી ન આપતા ત્રણેય બેરોજગાર યુવાનોએ ટાવર ચડી વિરોધ નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોરા ગામ પાસે નર્મદાના અસરગ્રસ્તોને નોકરી આપવાની સરકારે વાત કરી હતી. જોકે, હજુ સુધી નોકરી ન મળતા પાણસોલી વસાહતના પ્રવીણ રણછોડ, સીમડિયા, મહેશભાઈ અને બરોલી વસાહતના બાલુભાઈ ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આ લોકોનું કહેવું છે કે, 19 ગામોના અસરગ્રસ્તોને ગુજરાત સરકાર કટ-ઓફ ડેટમાં નોકરીનો લાભ નથી આપતી. અમને ગુજરાતને બદલે મધ્ય પ્રદેશમાં નોકરી આપવામાં આવી છે. વારંવાર અમે રાજ્ય સરકાર સાથે બેઠકો કરી પરંતુ, અમને ફક્ત લાભ આપવાનું આશ્વાસન આપી છેતરવામાં આવી રહ્યા છે. હવે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ટાવર પરથી નીચે નહીં ઉતરીએ.
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત સહિત દેશભરમાં ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. એવામાં આ ત્રણેય યુવાનો કોઈ પાણી કે ખોરાક વિના ટાવર પર ચડી ગયા છે. આ સિવાય ધોમધખતા તાપમાં લોખંડના ટાવરને પકડીને ઊભું રહેવું પણ મુશ્કેલ છે. ભોજન-પાણીની ઉણપ અથવા જો કોઈ અકસ્માત થયો તો આ લોકોનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech