BREAKING NEWS

ભારત-સેશેલ્સ સંબંધોના 50 વર્ષ: PM મોદી ત્રણ દિવસીય યાત્રાએ સેશેલ્સ પહોંચ્યા; 'સાગર' વિઝન અને હિંદ મહાસાગરમાં સહયોગ વધારવા પર ભાર

  • June 27, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે હિંદ મહાસાગરના મહત્વના દ્વીપ દેશ સેશેલ્સ પહોંચ્યા છે. સેશેલ્સની રાજધાની વિક્ટોર્ટોરિયામાં ત્યાંના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની દ્વારા પીએમ મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે, જે ભારતની વિદેશ નીતિ અને 'સાગર' (SAGAR - Security and Growth for All in the Region) વિઝન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

નેશનલ બોટનિકલ ગાર્ડનમાં વિશાળ કાચબાઓને ખવડાવ્યું ભોજન
સ્વાગત વિધિ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ સાથે મળીને સેશેલ્સના પ્રખ્યાત નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી હતી. અહીં બંને નેતાઓએ 'અલ્ડાબ્રા' પ્રજાતિના વિશાળકાય કાચબાઓને પોતાના હાથે ભોજન ખવડાવ્યું હતું, જે બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા અને સહજ સંબંધોને દર્શાવે છે. પીએમ મોદી 29 જૂનના રોજ યોજાનારા સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે પણ હાજરી આપશે. ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રપતિ હર્મિની ભારત પ્રવાસે આવ્યા હતા, જેના પછી હવે આ દ્વિપક્ષીય બેઠકમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, સમૃદ્ધિ અને વિકાસને આગળ વધારવા પર ચર્ચા થશે.


સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ PM બનશે મોદી

પોતાની આ યાત્રા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "હું સેશેલ્સની નેશનલ એસેમ્બલી (સંસદ) ને સંબોધિત કરનારો પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનીશ. આ તક બંને દેશોની મજબૂત લોકતાંત્રિક અને સંસદીય પરંપરાઓને ઉજાગર કરે છે." આ ઉપરાંત તેમણે ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ઉમેર્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-સેશેલ્સના જોડાણને વધુ ઊંડું કરવાનો અને દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવાનો છે.


ભારત અને સેશેલ્સ વચ્ચે 256 વર્ષ જૂનો સંબંધ
ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધો માત્ર વ્યાપારી કે વ્યૂહાત્મક નથી, પરંતુ તે 256 વર્ષ જૂના ઐતિહાસિક સગાંવાદ પર આધારિત છે. વર્ષ 1770માં જ્યારે સેશેલ્સમાં પ્રથમ કાયમી વસાહત સ્થાપવામાં આવી હતી, ત્યારે ત્યાં પહોંચેલા શરૂઆતના 27 લોકોમાં 5 ભારતીયો સામેલ હતા. ત્યારબાદ બિહાર, તમિલનાડુ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં જઈને વસ્યા હતા.

સેશેલ્સના રાષ્ટ્રપતિના પૂર્વજો બિહારના હતા. આજે સેશેલ્સની અંદાજે 1,20,000ની વસ્તીમાં દર આઠમો નાગરિક ભારતીય મૂળનો છે. દેશના રાષ્ટ્રપતિ વેવેલ રામકલાવનના પૂર્વજો પણ ભારતના બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના હતા. આથી જ પીએમ મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પૂર્વજોના પારિવારિક સંબંધોને એક નવી ઉર્જા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News