જામનગરમાં નીલકમલ સોસાયટી પાછળ હનુમાન ટેકરીમાં રહેતા પચાસ વર્ષના પ્રૌઢ કે જેઓ કાને ઓછું સાંભળતા હતા, અને ટ્રેનની હડફેટે ચડી જતાં તેઓને ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નિલ કમલ પાછળ હનુમાન ટેકરી નજીક દેવનગરમાં રહેતા વાલાભાઈ હમીરભાઇ ચાવડા નામના ૫૦ વર્ષના પ્રૌઢ ગઈકાલે દેવનગર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈન ના પાટા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા.
તેઓ કાને ઓછું સાંભળતા હોવાથી અચાનક ટ્રેન આવી જતાં તેઓ ટ્રેનની હડફેટે ચડી ગયા હતા, અને ગંભીર ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યાં તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પત્ની કારીબેન વાલાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ, મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech