મકાન વેચાણના પ્રશ્નો ઝઘડો કર્યા પછી ત્રણેય પિતા પુત્રો પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ
જામનગરમાં પઠાણ ફળી વિસ્તારમાં રહેતા એક ફકીર યુવાન અને તેના બે પુત્રો બાઈક પર જઈ રહ્યા હતા, દરમિયાન મકાન વેચાણના પ્રશ્ને ઝઘડો કરી અને પાછળથી બાઈક ની ઠોકરે ચડાવી ત્રણેયને ઈજાગ્રસ્ત બનાવ્યા હતા, ઉપરાંત પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ સાક માર્કેટ વિસ્તારમાં રહેતા એક વેપારી ગઈકાલે પોતાના બાઈકમાં તેના બે પુત્ર નવાજ અને અયાન ને બેસાડીને પઠાણ ફળી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન વાઘેર વાડા વિસ્તારમાં રહેતો હૈદર મોહમ્મદભાઈ વાઘેર નામનો શખ્સ બાઈક સાથે ધસી આવ્યો હતો, અને પાછળથી ઠોકર મારી ત્રણેય પિતા પુત્રને નીચે પછાડી દઈ ઘાયલ કર્યા હતા.
ત્યારબાદ તેણે પથ્થર વડે મહેબુબભાઇ અને તેના પુત્ર ઉપર હુમલો કરી દીધો હતો, જેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો. આરોપી ફરિયાદીનું મકાન વેચાતું લઈ લેવા માંગતો હતો, પરંતુ ફરિયાદીએ મકાન વેચાણ ની ના પાડતાં આરોપીએ ઉસકેરાઈ જઇ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech