સામા પક્ષે સફાઈ કામદારે પણ એસ.એસ.આઇ. વિરુદ્ધ પોતાને લાત અને મુક્કા માર્યાની વળતી ફરિયાદ નોંધાવી
જામનગર મહાનગરપાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરાયો હતો, જે બનાવ મામલે એક સફાઈ કામદાર દંપતિ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે, જયારે સામા પક્ષે સફાઈ કામદારે પણ એસએસઆઇ વિરુદ્ધ હુમલા ની વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગર મહાનગરપાલિકાના એસ.એસ.આઇ ગઈકાલે પોતાની ફરજ બજાવી રહ્યા હતા, અને મહાવીર નગર વિસ્તારમાં ચેકીંગ કરી રહ્યા હતા, જે દરમિયાન એક સફાઈ કામદાર દંપતિ રજા લીધા વિના હોસ્પિટલ જવા લાગતાં તેઓને અટકાવ્યા હતા, જેથી દંપતીએ તેમના પર હુમલો કરી દીધો હતો, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જે અંગે સફાઈ કામદાર દંપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેની સામે સફાઈ કામદારે પણ પોતાને માર માર્યાની એસ.એસ.આઇ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં નીલકંઠનગરમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.૩૭)કે જેઓ પોતાની ફરજ પર હતા, જે દરમિયાન રવિ જયંતીભાઈ ચુડાસમા અને તેના પત્ની વીણાબેન કે જે દંપતિ સફાઈ કામ કરવાને બદલે તેઓને અન્ય વિસ્તારમાં વાહનમાં ફરતાં જોવા મળ્યા હતા.
તેથી તેઓના અટકાવ્યા હતા, અને તમે અહીં શું કામ ફરો છો? તમારી અહીં ફરજ નથી. તેમ કહેતાં દંપત્તિએ પોતે હોસ્પિટલમાં સારવાર માટે જતા હોવાનું જણાવ્યું હતું. તેથી એસ.એસ.આઇ દ્વારા હોસ્પિટલના સારવારના કાગળો બતાવવાનું કહ્યું હતું. જેથી દંપત્તિ ઉસકેરાયું હતું. અને એસ.એસ.આઈ. ચિરાગભાઈ પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને કપાળના ભાગે તેમ હાથના ભાગે ઈજા થઈ હતી, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસની જાણ થતાં સીટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, અને એસ.એસ.આઇ ચિરાગભાઈ સોલંકી ની ફરિયાદ ના આધારે રવિ જયંતીભાઈ ચુડાસમા અને તેની પત્ની વીણાબેન સામે હુમલા અંગે ગુન્હો નોંધ્યો હતો.
દરમિયાન સફાઈ કામદાર રવિ જયંતીભાઈ ચુડાસમાએ પોતાને લાત અને મુકકા મારવા અંગે એસ.એસ.આઇ ચિરાગ નાનજીભાઈ સોલંકી સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech