ખંભાળીયામાં પ્રોહીબીશનના ગુનાનો નાસતો ફરતો આરોપી પકડાયો

  • April 06, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છ માસથી ફરાર શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેયએ હાલમાં ગુજરાત રાજયમાં લોકસભાની સામાન્ય ચુંટણી-2024ની આચારસંહીતા ચાલી રહેલ હોય, આ લોકસભાની ચુંટણી મુકત અને શાંતીમય વાતાવરણમાં યોજાય રહે કોઇ અનીચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતુથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી દ્વારા સ્ટાફને સાથે રાખી કમગીરી હાથ ધરવામાં આવી હતી.

દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે ટેકનીકલ સોર્સ દ્વારા ખંભાળીયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાનો આરોપી નારણ ટપુ મોરી રહે. રાણપર, ભાણવડવાળો દાની હેરફેર કરતો હોય, પોલીસે રેઇડ કરી બોલેરો નં. જીજે25યુ-5679માં દેશી દા 2000 લી. કિ. 40000 તેમજ બોલેરો કિ. 5 લાખ મળી કુલ 5.40લાખની મુકીને નાશી ભાગી ગયેલ હોય જે આરોપીને પોલીસ દ્વારા તા. 4-4-24ના રોજ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application