BREAKING NEWS

વાવડીમાં રહેતા યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત

  • August 25, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ વાવડીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. પ્રાપ્ત વિગત મુજબ વાવડીમાં પરીન ફર્નિચર પાછળ રાણીનગર સોસાયટી શેરી નંબર-8માં રહેતો ઋષિ શૈલેષભાઈ ભાલુ (ઉ.વ.23)નો યુવક ગઈકાલે સાંજે ઘરે હતો ત્યારે છતના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો, માતા બહારથી ઘરે આવતા પુત્રને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મૂકી હતી આથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા મથકના એએસઆઈ દિનેશભાઇ જોષી સહિતના દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.આપઘાત કરનાર યુવક એક બહેનમાં મોટો હતો અને પિતા ગેરેજ કામ કરતા હોય તેની સાથે કામ કરતો હતો. ક્યાં કારણોસર પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application