BREAKING NEWS

મુસાફરો માટે ખુશખબર: ઓખા-અમદાવાદ વંદે ભારતનું ટર્મિનલ બદલાયું, જાણો નવો સમય અને રૂટ

  • August 14, 2026 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​મુસાફરોની સુવિધા, સારી રેલ કનેક્ટિવિટી તથા આધુનિક રેલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં રેલ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેન નંબર ઓખા–અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન અને ટાઇમ ટેબલમાં ફેરફાર તથા માર્ગમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ, 2026થી અમલમાં આવશે.

​રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદને બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે.


​નવું ટાઇમ ટેબલ 

​ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ, 2026 થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ઓખાથી બપોર પછી 4:45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન સાંજે 7:44 વાગ્યે રાજકોટ પહોંચશે અને 19:49 વાગ્યે ઉપડશે. આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે ઉપડશે તથા 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે.


​આ જ રીતે, ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ, 2026 થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સાબરમતીથી સવારે 06:15 વાગ્યે ઉપડશે. તે આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે ઉપડશે. ત્યારબાદ રાજકોટ 09:31 વાગ્યે પહોંચશે અને 09:36 વાગ્યે ઉપડશે તથા 13:20 વાગ્યે ઓખા પહોંચશે.
​ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application