જામનગર તા.૧૫ જાન્યુઆરી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૫” અંતર્ગત વિવિધ જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં NSS યુનિટ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે આર.ટી.ઓ. ઇન્સ્પેકટરશ્રી શુભમભાઇ રૂપાણી અને વનરાજભાઈ વેગડા દ્વારા ભાવિ શિક્ષકોને માર્ગ સલામતી માટે ગુરુમંત્રની વાતો, વિડિઓના માધ્યમથી સુરક્ષા માટે મહત્વપૂર્ણ બાબતોની સમજૂતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech