ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તા. ૨૭/૦૩/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા હુકમ અનુસાર, રાજ્યના 21 જિલ્લાઓના પ્રભારી સચિવો તરીકે IAS અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પ્રવર્તમાન અધિકારીઓની બદલી, બઢતી અને અન્ય વહીવટી કારણોસર આ ફેરફારો કરવામાં આવ્યા છે.

આ નવા આદેશ મુજબ, રાજ્યના મુખ્ય જિલ્લાઓની જવાબદારી નીચે મુજબના વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે:
અમદાવાદ: એમ. થેન્નારસન, અગ્ર સચિવ (શહેરી વિકાસ).
રાજકોટ: રાહુલ ગુપ્તા, સચિવ (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ).
સુરત: શાલીની અગ્રવાલ, વહીવટી નિયામક (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ).
વડોદરા: પી. સ્વરૂપ, ઉદ્યોગ કમિશનર.
ગાંધીનગર: ડૉ. વિનોદ રાવ, અગ્ર સચિવ (વન અને પર્યાવરણ).
કચ્છ: રાજ કુમાર બેનિવાલ.
બનાસકાંઠા: પ્રવિણા ડી.કે..
ભાવનગર: આલોક કુમાર પાંડે.
જામનગર: આરતી કંવર.
દેવભૂમિ દ્વારકા: ધવલકુમાર કે. પટેલ.
વાવ-થરાદ: પી. ભારથી.
પ્રભારી સચિવોની ભૂમિકા અને જવાબદારી
આ હુકમ મુજબ, નિયુક્ત કરવામાં આવેલા પ્રભારી સચિવોએ માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં, પરંતુ તેમને ફાળવવામાં આવેલા જિલ્લાના વિકાસશીલ તાલુકાઓના પ્રભારી તરીકે પણ વિશેષ કામગીરી કરવાની રહેશે. આ અધિકારીઓ જિલ્લામાં ચાલતી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે અને વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલન સાધશે.
અમલીકરણ અને આદેશ
આ નિમણૂંકો રાજ્યપાલશ્રીના હુકમથી નાયબ સચિવ ડૉ. જયશંકર ઓધવાણી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ આદેશની નકલ તમામ સંબંધિત વિભાગો, મંત્રીઓના અંગત સચિવો અને જિલ્લા કલેક્ટરોને જાણ તથા અમલ માટે મોકલી આપવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે તમામ ૩૪ જિલ્લા/વિસ્તારોના પ્રભારી સચિવોની સંકલિત યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.