જો તમે એવા લોકોમાંના એક છો જે ધૂમ્રપાન કરતા નથી, પરંતુ કયારેક કામ પર કોઈ સાથીદાર સાથે જોડાઓ છો અથવા મિત્ર સાથે ચાની દુકાન પર જાઓ છો, તો તમારે સાવચેત રહેવાની જર છે. ભારતમાં નિષ્ક્રિય ધૂમ્રપાન અથવા સેકન્ડહેન્ડ ધૂમ્રપાનના સંપર્કમાં આવવાથી મૃત્યુની સંખ્યામાં ૧૯૯૦ની તુલનામાં ૨૦૨૩માં લગભગ ૫૦ ટકાનો વધારો થવાનો અંદાજ છે. જોકે આ સમયગાળા દરમિયાન તમાકુના ઉપયોગને કારણે મૃત્યુ દરમાં આશરે ૩૦ ટકાનો ઘટાડો થયો છે. આ માહિતી વિશ્વના અગ્રણી આરોગ્ય સંશોધન જર્નલ, ધ લેન્સેટ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં બહાર આવી છે.આ અભ્યાસના અંદાજ મુજબ, ભારતમાં નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્કમાં આવતી વસ્તી ૧૯૯૦ માં ૩૭૫ મિલિયનથી વધીને ૨૦૨૩ માં ૪૪૪ મિલિયન થયો, જે ૧૮.૪ ટકાનો વધારો છે. જોકે વય–સમાયોજિત વ્યાપકતા દર ૧૯૯૦ માં ૪૩.૨૦ ટકાથી ઘટીને ૨૦૨૩માં ૩૦.૬૦ ટકા થયો.વય–સમાયોજિત વ્યાપકતા દર એક આંકડાકીય પદ્ધતિ છે જે વિવિધ વય જૂથોમાં રોગ અથવા સ્થિતિની વધુ ઉદ્દેશ્ય તુલના કરવાની મંજૂરી આપે છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ૨૦૨૩ સેકન્ડ–હેન્ડ સ્મોક કોલાબોરેટર્સ, સંશોધકોની આંતરરાષ્ટ્ર્રીય ટીમે ૨૦૪ દેશો અને પ્રદેશોમાં નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્ક અને તેની સાથે સંકળાયેલ રોગના ભારણનું મૂલ્યાંકન કયુ.સંશોધકોએ જણાવ્યું હતું કે, ૨૦૨૩માં વિશ્વભરમાં અંદાજે ૨.૭૧ અબજ લોકો નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્કમાં આવ્યા હતા, જેમાં ૦–૧૪ વર્ષની વયના ૭૬૭ મિલિયન બાળકોનો સમાવેશ થાય છે. અભ્યાસ મુજબ, ૨૦૨૩માં નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્કમાં આવવાનો વૈશ્વિક દર ૩૩.૯૦ ટકા હતો. ચીન, ભારત અને ઇન્ડોનેશિયા વિશ્વની લગભગ અડધી વસ્તી નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્કમાં આવે છે.૨૦૨૩માં, ચીનમાં ૬૬૪ મિલિયન, ભારતમાં ૪૪૪ મિલિયન અને ઇન્ડોનેશિયામાં ૧૪૨ મિલિયન લોકો હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ એશિયા, પૂર્વ એશિયા અને ઓશનિયા પ્રદેશોમાં નિષ્ક્રિય ધૂમ્રપાનના દરમાં સૌથી વધુ વય–સંબંધિત વધારો થયો હતો, જે ૪૮.૪૦ ટકા હતો. કેટલાક દેશોમાં, ક્રીઓ પુષો કરતાં લગભગ ૧.૮ ગણા વધુ દરે નિષ્ક્રિય ધૂમ્રપાનના સંપર્કમાં આવી હતી.