આ કેસની હકીકત મુજબ રાજકોટ મુકામેની જી.એસ.ટી. કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ જયપ્રકાશસિંધ રામચંદ્રસિંઘ દ્વારા રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલ કે જુન-૨૦૨૩થી તા.૩૦/૦૯/૨૦૨૩ દરમીયાન કોઈ વ્યકિત દ્વારા પરમાર એન્ટરપ્રાઈઝના નામથી બનાવટી ભાડા કરાર ખરા તરીકે જી.એસ.ટી. વિભાગમાં ઓનલાઈન રજુ કરી પરમાર એન્ટરપ્રાઈઝના નામે જી.એસ.ટી. નંબર મેળવી બોગસ ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવા માટે યશ ડેવલોપર્સ, ઈકરા ઈન્ટરપ્રાઈઝ, સિવિલ પ્લીસ એન્જિનિયરિંગ, ધનશ્રી મેટલ, ડી.એ. એન્ટરપ્રાઈઝ, આર્યન એશોસીયેટસ, જયોતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અરહમ સ્ટીલ, રિધ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આશાપુરા ટ્રેડીંગ, શીવ મીલન પ્લાસ્ટીક તથા ગ્લોબલ ઈમ્પેક્ષ, માં દુર્ગા સ્ટીલ, મારૂતી નંદન કન્સ્ટ્રકશન અને લખુભા નાનભા જાડેજા નામની પેઢીઓના સંચાલકો સાથે મળી ગુન્હાહીત કાવત્રુ રચી બનાવટી બિલિંગ તથા બનાવટી દસ્તાવેજો બનાવી અને ખોટી રજુઆતો દ્વારા બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવી સરકારને રૂા.૬૧,૩૮,૧૬૮નું આર્થિક નુકશાન પહોંચાડવાના ગુનામાં પ્રથમ ચાર્જશીટમાં કુલ ૧૪ આરોપીઓને તથા સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં કુલ ૯ આરોપીઓને અટક કરી ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું, જે આરોપીઓ પૈકી બનાવટી બેન્ક ખાતા ખોલનાર બેંક કર્મચારી મુળ સુત્રાપાડાના રહીશ અને હાલ જુનાગઢ મુકામે રહેતા પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદી પણ જેલ હવાલે હોય, તેણે રેગ્યુલર જામીન પર મુક્ત થવા પોતાના એડવોકેટ મારફત જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી બેંકના સેલ્સ પર્સન તરીકે ખાતેદાર શોધી લાવેલ છે, તેના ડોક્યુમેન્ટ્સના આધારે બેંક ખાતા ખોલવાની જવાબદારી આ આરોપીની નથી, તેથી ગુનામાં તેની સંડોવણી ન હોવા સહિતની કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી પ્રશાંત યોગાનંદીને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ અને જયમલ મકવાણા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech