કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને વિવિધ કર્મચારી સંગઠનો માટે આઠમા પગાર પંચતરફથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. પગાર પંચ હાલમાં સંપૂર્ણ એક્શન મોડમાં કામ કરી રહ્યું છે અને કર્મચારી સંગઠનો સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન, કર્મચારીઓને મોટી રાહત આપતા પંચે પોતાના સૂચનો અને ભલામણો સબમિટ કરવાની સમયસીમામાં ફેરફાર કર્યો છે.
મેમોરેન્ડમ જમા કરાવવાની તારીખ ત્રીજી વખત લંબાવાઈનવી સમય સીમા
કર્મચારી સંગઠનો હવે આગામી 15 જૂન 2026 સુધી પોતાના સૂચનો અને મેમોરેન્ડમ સબમિટ કરી શકશે.ત્રીજી વખત ફેરફાર: અગાઉ આ પ્રક્રિયા 5 માર્ચ 2026ના રોજ શરૂ થઈ હતી, જેની છેલ્લી તારીખ પહેલા 30 એપ્રિલ અને ત્યારબાદ 31 મે નક્કી કરાઈ હતી. હવે તેમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.
માત્ર ઓનલાઇન સ્વીકૃતિ
તમામ સૂચનો માત્ર સત્તાવાર વેબસાઇટ 8cpc.gov.in ના માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઇમેઇલ, પીડીએફ (PDF) કે હાર્ડ કોપી દ્વારા મોકલેલા પત્રો પર કોઈ વિચાર કરવામાં આવશે નહીં.
શું ભલામણો લાગુ થવામાં મોડું થશે?
એરિયર પર શું થશે અસર?મુદત લંબાવાને કારણે કર્મચારીઓમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું નવું પગાર માળખું લાગુ થવામાં વિલંબ થશે? જોકે, તેનાથી કર્મચારીઓને ફાયદો અને નુકસાન બંને થઈ શકે છે:બેક ડેટથી અમલીકરણની આશા: આઠમા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026 ની પૂર્વવર્તી અસરેથી લાગુ થવાની પ્રબળ સંભાવના છે.બેઝિક સેલરીનું એરિયર મળશે
જો ભલામણો સોંપવામાં કે તેનો અમલ કરવામાં વિલંબ થશે, તો કર્મચારીઓનું બેઝિક સેલરીનું એરિયર (બાકી નાણાં) વધી જશે, જે પાછળથી તેમને એકસાથે મળશે. જોકે, આના કારણે સરકારી તિજોરી પર એકસાથે મોટો નાણાકીય બોજ આવી શકે છે.
ભથ્થાઓમાં થઈ શકે છે નુકસાન
આર્થિક નિષ્ણાતોના મતે, મોડું થવા પર બેઝિક સેલરીનું એરિયર તો મળી જશે, પરંતુ હાઉસ રન્ટ અલાઉન્સ (HRA) જેવા ભથ્થાઓ સામાન્ય રીતે પાછલી તારીખથી ચૂકવવામાં આવતા નથી. તેથી અહેવાલ જેટલો મોડો આવશે, ભથ્થાઓના સંદર્ભમાં કર્મચારીઓને એટલું નાણાકીય નુકસાન વેઠવું પડી શકે છે.
રિપોર્ટ સોંપવા માટે પંચ પાસે કેટલો સમય છે?
નિયમો અનુસાર, આઠમા પગાર પંચના ગઠન બાદ તેને પોતાની અંતિમ ભલામણો અને રિપોર્ટ સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ પંચની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2026 માં તેની સત્તાવાર પોર્ટલ લોન્ચ કરવામાં આવી હતી.