BREAKING NEWS

રાજકોટ મનપામાં આજે જન્મ-મરણ નોંધણીની કામગીરી સંપૂર્ણ પણે બંધ

  • February 07, 2026 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે જન્મ-મરણ નોંધણીની કામગીરી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવી છે. ઇ ઓળખ પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરાઇ ત્યારથી રોજે રોજ સર્વર ડાઉન સહિતના વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય હવે મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આજ રોજ જન્મ-મરણ નોંધણી પ્રમાણપત્રની કામગીરી માટેનું સી.આર.એસ. વેબ પોર્ટલમેન્ટેનન્સના કારણે બંધ રહેવાનું હોય.સી.આર.એસ. પોર્ટલને લગત જન્મ-મરણ પ્રમાણપત્રને લગત સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે. આગામી તા.૯ ફેબ્રુઆરીને સોમવારથી સેવાઓ રાબેતા મુજબ શરૂ થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application