કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે પી.જી.વી.સી.એલ.ના પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીએ જામનગરમાં સમાણા હાઇવે રોડમાં લાઈન નખાવવી, જામવંથલી ગામે અલગથી વીજ ફીડર અપાવવું અને ટી.સી. મુકાવવું, બેડીમાં નિયમિત રીતે વીજ પુરવઠો પૂરો પાડવો, તિરુપતિ સોસાયટીમાં નડતરરૂપ વીજ પોલ હટાવવો, ઠેબા, દરેડ, મોરકંડા, હાપા ગામમાં નિયમિત રીતે વીજ પુરવઠો પૂરો પાડવો, શિવમ પાર્કમાં નિયમિત રીપેરીંગ થાય, પસાયા ગામે સ્મશાનમાં બોર અને મોટર માટે લાઈટ કનેક્શન આપવું, સરમત ગામે સિંગલ ફેઈઝ આપવો, ધોરીવાવ ગામે લો વોલટેજની ફરિયાદો દૂર કરવી, વિવિધ ગામોમાં વીજ મીટર અપાવવા, ઘુંવાવ ગામે 20 ગ્રાહકોને જે.જી.વાય.કનેક્શન આપવું, શાપર ગામે મંદિરમાં વીજ જોડાણ આપવું, ઘુંવાવ, ખીમલીયા, મોરકંડા ગામે ગૃહ ઉદ્યોગને વીજ કનેક્શન આપવું, વરણા ગામે ગ્રામ પંચાયત ભવનમાં વીજ કનેક્શન આપવું, ચાવડા ગામે લો વોલટેજની ફરિયાદો દૂર કરવી, નાઘેડી ગામે વીજ પોલ મુકાવવો, ખટિયા ગામે વીજળીની ફરિયાદો દૂર કરવી સહિતના પ્રશ્નો સંદર્ભે વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કેબિનેટ મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, પી.જી.વી.સી.એલ. અને કલેકટર ઓફિસના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech