કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ જે તે સમયે આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી નિરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, પરંતુ હવે આ સબિત થઈ ગયું છે કે તેઓ ખોટું બોલ્યા હતા. તાજેતરમાં કેનેડાની વિદેશી હસ્તક્ષેપ સમિતિના અહેવાલમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે. કેનેડાની સુપ્રીમ કોર્ટ કોઈ પુરાવા શોધવામાં નિષ્ફળ જતાં ચારેય આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યામાં ભારતની કે વેદીશી તાકાતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. કેનેડાની વિદેશી હસ્તક્ષેપ સમિતિના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિરની હત્યામાં ભારતીય રાજદ્રારીઓ સહિત ઘણા લોકો સામેલ હતા. જોકે, આ કેનેડિયન સમિતિનો અહેવાલ કંઈક અલગ જ વાત કહે છે.
રિપોર્ટ અનુસાર, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યામાં કોઈપણ વિદેશી રાય સાથે કોઈ ચોક્કસ જોડાણ સાબિત થઈ શકયું નથી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો લાંબા સમયથી ભારત વિદ્ધ એટલું ઝેર ઓકતા રહ્યા છે કે હવે બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા છે. હરદીપ નિર હત્યા કેસમાં ટ્રુડોએ ભારત પર દોષારોપણ કરવાની કોઈ તક છોડી નથી. તેમણે કહ્યું કે નિરની હત્યા પાછળ ભારતનો હાથ હતો અને તેમની પાસે આના પુરાવા પણ છે.કેનેડાની સુપ્રીમ કોર્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech