હોમ હવન-મહા આરતી-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા
સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્માની આજે જયંતી ઉજવવામાં આવી રહી છે, અને ખાસ કરીને ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પંચેશ્વર ટાવર નજીક આવેલી વિશ્વકર્માની વાડીની જગ્યામાં વિશ્વકર્મા દેવના મંદિરમાં મહાપૂજા- હવન- સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાનો દ્વારા હોમ હવન સહિતના કાર્યક્રમની સાથે વિશ્વકર્મા જયંતીની ભવ્ય આરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વિશ્વકર્મા દેવના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ગુર્જર સુતાર જ્ઞાતિના લોકો તેમ જ અન્ય ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા, ત્યારબાદ વિશ્વકર્મા ની વાડીમાં સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech