ગેરકાયદે ખડકી દેવાયેલી હોટલ-રેસ્ટોરન્ટ-ચા-પાનની દુકાન-ગેરેજ સહિત આઠ દુકાનો પર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે લાલપુર બાયપાસ ચોકડી પાસે ગેરકાયદે ખડકી દેવાયેલી હોટલ, રેસ્ટોરન્ટ, ચા, પાનની દુકાન, ગેરેજ સહિતનું દબાણ બુલડોઝર ફેરવીને દૂર કરી દેવાયું છે, અને અંદાજે ૪,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે.
જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે જામનગર મહાનગરપાલિકાની જગ્યામાં કેટલાક આસામીઓ દ્વારા ગેરકાયદે રીતે હોટલ-રેસ્ટોરન્ટ, ચા- પાનની દુકાન, ગેરેજ સહિત ૮ જેટલા દબાણ કારોએ ગેરકાયદે રીતે જગ્યા દબાવી બાંધકામ ખડકી દીધું હતું.
જે અંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં જગ્યા ખાલી કરાવાઇ ન હતી. દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલીની આગેવાનીમાં એસ્ટેટ શાખાની ટુકડી બુલડોઝર, ટ્રેક્ટર સહિતની સાધન સામગ્રી લઈને લાલપુર બાયપાસ ચોકડીએ પહોંચી હતી, અને તમામ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દઈ આશરે ૪,૦૦૦ ફૂટ જેટલી જગ્યા ને ખુલ્લી કરાવી દેવામાં આવી છે. આ કાર્યવાહી સમયે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech