હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા મસ્જિદ વિવાદ વચ્ચે કાંગડા જિલ્લાના નગરોટા બાગવાન સબ-ડિવિઝનમાં મંદિરમાં સ્થાપિત શિવલિંગને તોડી પાડવાને લઈને વાતાવરણ ગરમાયું હતું. આ ઘટના પર રોષ વ્યક્ત કરતા હિંદુ સંગઠનો સહિત સ્થાનિક લોકોએ નગરોટા બગવાન માર્કેટમાં પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન, લોકો બજારમાં ભાડેથી આપવામાં આવેલી મુસ્લિમોની દુકાનો ખાલી કરવા મક્કમ બન્યા હતા. દુકાનો ખાલી કરવાના મુદ્દે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ભારે ચર્ચા જાગી હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા સ્થળ પર હાજર પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી.
આ દુકાનો મુસ્લિમો પોતે જ ખાલી કરી દેશે એવી ખાતરી આપીને વિરોધ કરનારા ત્યાંથી ચાલ્યા ગયા. આ દરમિયાન બજારમાં જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે અહીં લગભગ 16 દુકાનો મુસ્લિમોએ ભાડે લીધી છે.
લોકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
આ પછી લોકો ગાંધી મેદાન સ્થિત મસ્જિદની બહાર પહોંચી ગયા હતા અને મસ્જિદની અંદર ચાલી રહેલી ગતિવિધિઓ જાણવા અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં પણ પોલીસે લોકોને આમ કરતા અટકાવ્યા હતા.
જે બાદ એકઠા થયેલા લોકોએ ગાંધી મેદાનમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શહેરમાં ખોટી પ્રવૃતિઓને સાંખી લેવામાં આવશે નહીં અને અહીં જે મુસ્લિમ લોકોએ દુકાનો ભાડે આપી છે તેમણે તાત્કાલિક ખાલી કરવી જોઈએ.
સમગ્ર ઘટનાની માહિતી મળતાની સાથે જ પ્રવાસન નિગમના અધ્યક્ષ અને નગરોટા બગવાનના ધારાસભ્ય આરએસ બાલી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અજાણ્યા લોકોએ તોડ્યું શિવલિંગ
જણાવી દઈએ કે, નગરોટા બાગવાનમાં ગાંધી મેદાન પાસે આવેલા એક શિવ મંદિરના શિવલિંગને કેટલાક અજાણ્યા લોકોએ તોડી નાખ્યું હતું. લોકોને આ ઘટનાની જાણ શુક્રવારે સવારે જ થઈ હતી અને ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટના સમયે એસપી કાંગડા શાલિની અગ્નિહોત્રી અને એસડીએમ નગરોટા બાગવાન મુનીશ શર્મા પણ હાજર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech