શાકાહારી આહારમાં સ્નાયુઓની મજબૂતી અને પ્રોટીનની ઉણપ પૂરવા માટે ચણાનું સંયોજન રામબાણ ઈલાજ સાબિત થશે.ચણા સાથે દહીં, પનીર, મગ અને મગફળીનું યોગ્ય મિશ્રણ સ્વાસ્થ્ય માટે સાબિત થશે ગેમ-ચેન્જ કરી શકે છે આજના ભાગદોડભર્યા યુગમાં શરીરને ઉર્જાવાન રાખવા અને સ્નાયુઓની મજબૂતી (મસલ્સ રીપેર) માટે પ્રોટીન સૌથી મહત્વનું પોષક તત્વ છે. સામાન્ય રીતે ભારતીય રસોડામાં કાળા ચણાનો ઉપયોગ ખૂબ લોકપ્રિય છે, જે વનસ્પતિજન્ય પ્રોટીન, આયર્ન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ, આરોગ્ય નિષ્ણાતોના મતે ચણાને એકલા ખાવાને બદલે જો તેને યોગ્ય ખાદ્યપદાર્થો સાથે જોડીને (ફૂડ કોમ્બિનેશન) ખાવામાં આવે, તો પ્રોટીનની માત્રા અનેક ગણી વધી જાય છે. ફિટનેસ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતોએ શાકાહારી લોકો માટે ચણા સાથે ખાવા લાયક ૪ શ્રેષ્ઠ પૌષ્ટિક સંયોજનો જાહેર કર્યા છે જે નબળાઈને જડમૂળથી દૂર રાખશે
ચણા અને દહીંનું પરફેક્ટ કોમ્બિનેશન
કાળા ચણા અને દહીં બંને પ્રોટીનથી ભરપૂર સ્ત્રોત છે. આ બંનેનું મિશ્રણ સ્નાયુઓને શક્તિ આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. દહીંમાં રહેલા 'ગુડ બેક્ટેરિયા' (પ્રોબાયોટિક્સ) પાચનતંત્રને સુધારે છે, જેથી ચણા ખાધા પછી થતો ગેસ, પેટનો ભારેપો કે સોજો (બ્લોટિંગ) જેવી સમસ્યાઓ થતી નથી.
પનીર સાથે ચણાનું હેલ્ધી બાઉલ
શાકાહારી આહાર લેતા લોકો માટે પનીર અને કાળા ચણાનું મિશ્રણ શરીરની પ્રોટીનની અછત પૂરી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. સહેજ સાંતળેલા (રોસ્ટેડ) કાળા ચણામાં પનીરના ટુકડા, ડુંગળી, ટામેટાં અને હળવા મસાલા ઉમેરીને એક પૌષ્ટિક પ્રોટીન સલાડ બનાવી શકાય છે, જે સ્નાયુઓને અદભુત તાકાત આપે છે.
અંકુરિત મગ (ફણગાવેલા મગ) અને ચણાનો પાવર
ફણગાવેલા મગ અને કાળા ચણાનું મિશ્રણ પોષણનો પાવરહાઉસ માનવામાં આવે છે. આ સંયોજન પ્રોટીન અને ફાઈબરથી સભર હોવા છતાં પચવામાં ખૂબ જ હળવું અને સુપાચ્ય હોય છે. જે લોકો પોતાનું વજન નિયંત્રિત કરવા માંગે છે અથવા સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ ઈચ્છે છે, તેમના માટે આ મિશ્રણ ખૂબ ગુણકારી છે.
મગફળી સાથે ચણાનો ક્રન્ચી સ્વાદ
કાળા ચણા સાથે શેકેલી મગફળીનું મિશ્રણ માત્ર સ્વાદ અને ક્રંચમાં જ ઉત્તમ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક સુપરફૂડ છે. ચણાના પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનની સાથે મગફળીમાં રહેલા 'હેલ્ધી ફેટ્સ' (સ્વસ્થ ચરબી) ભળવાથી તે રક્તમાં શુગરના સ્તરને અચાનક વધતું અટકાવે છે અને દિવસભર કાર્ય કરવાની ઉર્જા પૂરી પાડે છે.આ સરળ અને ઘરેલું આહાર શૈલીને અપનાવીને નબળાઈ, એનિમિયા અને અતિશય થાક જેવી સમસ્યાઓ સામે કુદરતી રીતે રક્ષણ મેળવી શકાય છે.