પોરબંદરની સામાજિક સંસ્થાઓ દ્વારા મેળાના ધંધાર્થીઓને તેમજ સ્થળાંતરીતોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ભારે વરસાદના કારણે પોરબંદરમાં જન્માષ્ટમીનો મેળો રદ કરવામાં આવેલ છે,
જે મેળામાં બહારગામથી ધંધો-રોજગાર કરવા આવેલા લોકો તેમજ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે રાહદારીઓ તથા નીચાણવાળા વિસ્તારમાંથી અન્ય જગ્યાએ સ્થાળંતર કરેલ લોકોને ખીચડી તથા સુક્કો નાસ્તાના ફુડ પેકેટનું વિતરણ રામદેવભાઈ મોઢવાડીયા, નિરવભાઈ દવે, પ્રવિણભાઈ ખોરાવા, હરપાલસિંહ સરવૈયા,નરેશભાઈ થાનકી, ધર્મેશભાઈ પરમાર, દેવવ્રતભાઈ જોષી,હાર્દિકભાઈ થાનકી, સહિતના સેવાભાવી સંસ્થાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્ય પોરબંદરની ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ,ઈન્ડીયન રેડક્રોસ પોરબંદર તાલુકા શાખા તેમજ પાયોનીયર કલબ પોરબંદર દ્વારા કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech