જામનગર શહેરમાં બેડેશ્ર્વર પંચવટીથી ગુલાબનગર, વિભાપરથી લાલપુર બાયપાસ ચોકડી સુધી શેરીઓમાં શ્ર્વાનના ત્રાસથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, અત્યાર સુધી ફકત ઢોરનો જ શેરી સર્કલોમાં ત્રાસ હતો પરંતુ શહેરીજનો પર છેલ્લા એક માસથી વધારે સમયથી કુતરાઓનો ત્રાસ વધી જવા પામ્યો છે, જી.જી. હોસ્પીટલમાં રોજ અસંખ્ય દર્દીઓ કુતરા કરડવાના કેસમાં આવે છે, આ જ હોસ્પીટલમાં પણ કુતરાઓ ટહેલતા જોવા મળતા હોય છે, ગત રાત્રીના જી.જી. હોસ્પીટલના ઓપીડીના ટેબલ પર મીઠી નિંદર માણતો શ્ર્વાન નજરે પડયો હતો, શહેરની શેરી ગલીઓમાં તો કુતરાઓનો ભય હતો પરંતુ હોસ્પીટલમાં પણ કુતરાઓના પ્રવેશથી દર્દીઓ ભયભીત થઇ રહયા છે, લોકો ઇચ્છી રહયા છે કમ સે કમ હોસ્પીટલમાં તો કુતરાઓનો પ્રવેશ નિષેધ થાય અને હોસ્પીટલનું ગાઢ નિંદ્રામા સુતુ તંત્ર જાગે !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech