દેશમાં વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ અનેક ગણી વધી રહી છે.આધુનિક વાહનોની સાથે સાથે સુવિધાઓના આવિષ્કારની સાથે અમુક સમસ્યાઓ પણ સામે આવે છે. ખાસ કરીને રાત્રે, સામેથી આવતા વાહનની તેજસ્વી હેડલાઇટ કયારેક એટલી તીવ્ર હોઈ શકે છે કે થોડીક સેકન્ડ માટે સ્પષ્ટ્ર રીતે જોવું મુશ્કેલ બની જાય છે. આ એક મહત્વપૂર્ણ સમસ્યા ઉભી કરે છે, ખાસ કરીને ટુ–વ્હીલર ડ્રાઇવરો માટે. હવે, આ સમસ્યાને દૂર કરવા માટે, સરકાર વાહન હેડલાઇટ સંબંધિત નિયમો કડક કરવાની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયએ ભારે વાહનો માટે હેડલાઇટની તેજસ્વીતા, હાઇ–બીમનો ઉપયોગ અને ધ્શ્યતા સંબંધિત ઘણા ફેરફારો પ્રસ્તાવિત કર્યા છે. આનો હેતુ રસ્તા પરનો ઝગઝગાટ ઘટાડવા અને રાત્રે ડ્રાઇવિંગને સુરક્ષિત બનાવવાનો છે.પ્રસ્તાવ મુજબ, નવા ટુ–વ્હીલર પર ઓટોમેટિક હેડલેમ્પ ફકત લો બીમ પર જ ચલાવવાની મંજૂરી આપવા માટે એક નિયમ રજૂ કરી શકાય છે. આનો અર્થ એ છે કે હેડલેમ્પ આપમેળે ચાલુ થશે પરંતુ સામાન્ય ડ્રાઇવિંગ દરમિયાન લો બીમ પર રહેશે. જો કે, હાલના ટુ–વ્હીલરને આ પ્રસ્તાવમાંથી બાકાત રાખવામાં આવશે.
આ દરખાસ્તમાં રાત્રિના સમયે અથવા ખરાબ હવામાન દરમિયાન બસો અને ભારે વાહનો પર પ્રતિબિંબીત ટેપ ફરજિયાત કરવાનો પણ સમાવેશ થાય છે. આનાથી પાછળથી આવતા અથવા નજીકના વાહનોના ડ્રાઇવરો અંધારામાં, વરસાદમાં, ધુમ્મસમાં અથવા ઓછી ધ્શ્યતાની સ્થિતિમાં મોટા વાહનોની હાજરી ઝડપથી જોઈ શકશે.રાત્રે ઝગઝગાટ માર્ગ અકસ્માતોનું કારણ બની શકે છે. તેજસ્વી પ્રકાશ રસ્તા, રાહદારીઓ અથવા અન્ય વાહનોના ડ્રાઇવરના ધ્શ્યને અસ્થાયી પે અસ્પષ્ટ્ર કરી શકે છે. ટુ–વ્હીલર સવારો માટે અસર ખાસ કરીને ગંભીર હોઈ શકે છે, કારણ કે તેમની પાસે કારની રક્ષણાત્મક બોડી સ્ટ્રકચર નથી. તેથી, સરકારના પ્રસ્તાવિત ફેરફારો ફકત હેડલાઇટ ઝાંખી કરવા પર જ નહીં પરંતુ સમગ્ર રસ્તાના વાતાવરણમાં ધ્શ્યતા સુધારવા પર પણ કેન્દ્રિત છે.
આ પ્રસ્તાવિત ફેરફારો છે. મોર્થ એ ૩૦ દિવસની અંદર તમામ સંબંધિત હિસ્સેદારો પાસેથી સૂચનો અને વાંધા માંગ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી નિયમોને અંતિમ સ્વપ આપવામાં આવી શકે છે. પ્રસ્તાવિત ફેરફારો આગામી એપ્રિલમાં લાગુ થવાના છે, જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં, રસ્તા પર પ્રશ્ન ફકત તમારા વાહનની હેડલાઇટ કેટલી તેજસ્વી છે તે જ નહીં, પણ તેનો પ્રકાશ સામેના ડ્રાઇવરની સલામતી માટે જોખમી છે કે કેમ તે પણ હશે.