જામનગરમાં રેકડીવાળાને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધી

  • March 30, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેકડીના મામલે બબાલ : ત્રણ શખ્સ સામે કરાતી ફરીયાદ

જામનગરના બચુનગરમાં રહેતા શાકભાજીની રેકડીવાળાની રેકડી ખસેડી અપશબ્દો કહી ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી દીધી હતી, જે અંગે ત્રણ શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના વાઘેરવાડા પાસે બચુનગરમાં રહેતા શાકભાજીનો વેપાર કરતા કાસીમ સાજીદભાઇ મહુર (ઉ.વ.૨૩) નામનો યુવાન જનતા કરીયાણાવાળાની દુકાન પાસે શાકભાજીની રેકડી રાખીને વેપાર કરતો હોય ત્યારે આરોપીઓ અવાર નવાર રેકડી પર આવીને રેકડી દુર ખસેડી અને પોતાની ડુંગળીની રેકડી રાખી જેમ તેમ બોલ્યા હતા, અપશબ્દો કહયા હતા તેમજ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખશુ એવી ધમકી આપી હતી.
દરમ્યાન આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી કાસીમને ઢીકાપાટુનો માર મારી ધમકીઓ દઇ એકબીજાને મદદગારી કરી હતી, આ અંગે કાસીમભાઇએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં નઇમ ઉર્ફે નઇમો યુસુફ ગોળવાળા, શબીર ઉર્ફે શબલો યુસુફ ગોળવાળા અને મહમદ ઉર્ફે મમલો હાંડી આ ત્રણેયની વિરુઘ્ધ અલગ અલગ કલમ મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application