ભાવનગર જિલ્લાના સિહોરમાં અગાઉ થયેલી માથાકૂટ મામલે ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો.કરી ઇજા પહોંચાડી હતી. અને ત્રણેય શખ્સો જતા જતા યુવાકના ઘરમાં આગ લગાડી નાસી છૂટ્યા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિહોર પોલીસ મથકમાં સંદીપભાઈ મકવાણાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આઠેક દિવસ અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાની દાઝે ત્રણ શખ્સોએ યુવકને મૂઢ માર મારી ઘરને આગ ચાંપી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સિહોરમાં કોળી જ્ઞાતિની વાડીની પાછળ પટેલ ફાર્મ ખાતે રહેતા સંદીપભાઈ કાળુભાઈ મકવાણા (ઉ.વ.૨૬)એ સિહોરમાં જ રહેતા મેહુલભાઈ ધીરૂભાઈ ચૌહાણ, રવિભાઈ રાજેશભાઈ વાઘેલા, હિમ્મતભાઈ બધાભાઈ પરમાર વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાને આરોપી મેહૂલભાઈ ધીરૂભાઈ ચૌહાણ સાથે આઠેક દિવસ પહેલા બોલાચાલી તથા ઝઘડો થયેલ હોય તેની દાઝ રાખી શખ્સો પોતાના ઘર પાસે મોટર સાઈકલ લઈને આવ્યા હતા અને તેના ઘર પાસે રોડ પર બોલાવી શખ્સોએ પોતાને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. આથી પોતાને વધુ માર મારશે તેની બીક લાગતા તે છટકીને નિકળી જતા શખ્સોએ પોતાના ઘરને આગ ચાંપી રૂા. ૭૦ હજારનું નુકસાન કર્યું હતું. પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૪૩૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે બનાવ મામલે સિહોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણેય શખ્સોની અટક કરી ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMછાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત
May 03, 2025 03:19 PMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્વારા ટકોર
May 03, 2025 03:17 PMએપલ ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ટેક કંપની બની
May 03, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech