ઈરાનના રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રઈસીના તૂટી પડેલા હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢનાર ઈમરજન્સી ક્રૂએ એવો સંદેશો આપ્યો હતો કે દુર્ઘટનાસ્થળ પર બધું બરાબર નથી. આ અકસ્માતમાં રઇસી સહિત તમામના મૃત્યુ નીપયા હોવાનું માનવામાં આવે છે. જોકે તેની આધિકારિક પુષ્ટ્રિ કરવામાં આવી નથી. ઈરાનના સર્વેાચ્ચ નેતા, આયાતુલ્લા અલી ખમેનીએ, લોકોને રઈસીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી અને કહ્યું કે આ ઘટનાના પરિણામે દેશની બાબતોમાં કોઈ વિક્ષેપ નહીં આવે, રઇસીનું હેલીકોપ્ટર દેશના પર્વતીય ઉત્તરપશ્ચિમ વિસ્તાર પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં ક્રેશ થયું હતું. ઈરાનના રાજય ટેલિવિઝનએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનું સ્થાન ઉત્તર પશ્ચિમ ઈરાનમાં તવિલ ગામ નજીક છે. આ પ્રદેશમાં ગાઢ ધુમ્મસને કારણે શોધના પ્રયાસને જટિલ બનાવ્યો છે, રાજય મીડિયાએ અહેવાલ આપ્યો છે.
ઈરાનના રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તેની સતત શોધ ચાલી રહી હતી તે દરમિયાન, તુર્કીના ડ્રોને અકસ્માત વિસ્તારમાં સળગતી વસ્તુની ઓળખ કરી હતી. ઈરાની સમાચાર એજન્સી ફાર્સે આ અંગેની માહિતી શેર કરી હતી .તેમણે કહ્યું કે તુર્કીના ડ્રોને જે વિસ્તારમાં આગ લાગી તે વિસ્તારની ઓળખ તવલ તરીકે કરવામાં આવી હતી. યાં આગ દેખાઈ રહી છે ત્યાં બચાવ ટીમો મોકલવામાં આવી હતી. ઈરાનના રાષ્ટ્ર્રપતિને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે પૂર્વ અઝરબૈજાન ક્ષેત્રમાં ક્રેશ થયું હતું, આખી રાત ચાલુ રહેલ બચાવ કામગીરી પછી ડ્રોને હેલિકોપ્ટર શોધી કાઢું હતું અને ઈરાનની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
હેલિકોપ્ટરમાં ૯ લોકો સવાર હતા
હકીકતમાં, રવિવારે ઈરાનના રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને પૂર્વ અઝરબૈજાન પ્રાંતના પહાલી વિસ્તારમાં અકસ્માત નડો હતો. રઈસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હત્પસૈન અમીર અબ્દુલ્લાહિયન અને પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલિક રહેમતી અને અન્ય લોકો પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઈરાનના ગૃહ પ્રધાન અહેમદ વાહિદીએ હેલિકોપ્ટર દુર્ઘટનાને 'હાર્ડ લેન્ડિંગ' ગણાવી હતી. એવું કહેવાય છે કે સામાન્ય રીતે રશિયન આર્મી હેલિકોપ્ટર ક્રેશ માટે હાર્ડ લેન્ડિંગ શબ્દનો ઉપયોગ કરે છે. આ દુર્ઘટના બાદ રવિવારે રાત્રે ડઝનબધં બચાવ દળોએ હેલિકોપ્ટર માટે સર્ચ ઓપરેશન શ કયુ હતું, પરંતુ હજુ સુધી ઈરાનના રાષ્ટ્ર્રપતિ અને હેલિકોપ્ટરનો કોઈ પત્તો મળ્યો નથી. આ હેલિકોપ્ટરમાં કુલ ૯ લોકો સવાર હોવાનું કહેવાય છે.
વ્લાદિમીર પુતિને રાત્રે એક બેઠક યોજી
રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્ર્રપતિના હેલિકોપ્ટર દુર્ઘટનાને લઈને મોસ્કોમાં ઈરાનના રાજદૂતને ક્રેમલિનમાં તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. ઈરાનના રાજદૂત કાઝેમ જલાલીએ સમાચાર એજન્સી ઈરનાને જણાવ્યું કે, રશિયામાં રવિવાર રજા હોવા છતાં, રાષ્ટ્ર્રપતિ પુતિને ઈરાનના રાષ્ટ્ર્રપતિના હેલિકોપ્ટર દુર્ઘટનાને લઈને ૧૦ વાગ્યે રશિયન સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જલાલીએ જણાવ્યું કે મને પણ આ મીટીંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું
મોખબર ઈરાનના રાષ્ટ્ર્રપતિ બનશે
રાષ્ટ્ર્રપતિ રઇસીનું મોત થતા ઈરાનના ઉપરાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મોખબરને દેશના રાષ્ટ્ર્રપતિ બનાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર ૫૦ દિવસમાં ફરીથી ચૂંટણી કરાવવાની રહેશે. ઈરાનના ટોચના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી . આ બેઠકમાં રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરના દુર્ઘટના બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રઇસીને ઈરાનના કટ્ટરપંથી સમર્થક માનવામાં આવે છે અને તેઓ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીના નજીક હતા. મોહમ્મદ મોખબરે વર્ષેા સુધી આયતુલ્લા અલી ખમેનીના આદેશ પર બનાવવામાં આવેલા ફાઉન્ડેશનનું નેતૃત્વ કયુ હતું
અમેરિકાએ મોખબર પર મૂકયો હતો પ્રતિબંધ
જુલાઇ ૨૦૧૦માં યુરોપિયન યુનિયને આયાતુલ્લા અલી ખામેની સાથે મોહમ્મદ મોખબરને પરમાણુ અથવા બેલિસ્ટિક મિસાઇલ પ્રવૃત્તિઓ માં કથિત સંડોવણી માટે પ્રતિબંધો લાદતી વ્યકિતઓ અને સંસ્થાઓની સૂચિમાં સામેલ કાર્ય હતા. બે વર્ષ પછી આ મંજૂરીએ ઉલ્લેખિત સૂચિમાંથી મોહમ્મદ મોખબરને દૂર કર્યા હતા. ઈબ્રાહિમ રઇસીની જેમ મોહમ્મદ મોખબર પણ કટ્ટરવાદી નેતા તરીકે ઓળખાય છે
મોખબર ખોમેનીની નજીક
ઉપરાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મોખબર ડેઝફુલી ઇરાનના રાષ્ટ્ર્રપતિ ઇબ્રાહિમ રઇસી પછી બીજા સૌથી મોટા રાજનેતા છે જેમનો વહીવટ પર નિયંત્રણ છે. મોહમ્મદ મોખબર ડેઝફુલી ૮ ઓગસ્ટ ૨૦૨૧ થી ઈરાનના ૭મા અને વર્તમાન પ્રથમ ઉપરાષ્ટ્ર્રપતિ છે. તેઓ હાલમાં એકસપેડિએન્સી ડિસ્ક્રિમિનેશન કાઉન્સિલના સભ્ય પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech