રાજકોટની સિટી બસ સેવાના પ્રશ્નો અંગે તાજેતરમાં રાજકોટ શહેર એનએસયુઆઇ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી વિધાર્થીઓને અનિયમિત સીટી બસના કારણે ભારે પરેશાની ભોગવવી પડતી હોય છે તેમજ સીટી બસના ડ્રાઈવરો તેમજ કંડક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અવારનવાર ગેરવર્તન કરવામાં આવે છે. સિટી બસ સેવા નિયમિત થાય અને વિદ્યાર્થીઓ સાથે સિટી બસના સ્ટાફ દ્વારા ગેરવર્તનની ઘટનાઓ ફરી ન બને તે માટે ચોક્કસ પગલાં લેવા રજુઆત છે. ઉપરોક્ત તસ્વીરમાં મહાપાલિકા કચેરીમાં એનએસયુઆઇની આગેવાનીમાં ઉમટેલા વિદ્યાર્થીઓ દ્રશ્યમાન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech