BREAKING NEWS

જૂનાગઢ ગિરનાર રોપવે ૨ થી ૧૦ જૂન સુધી બંધ રહેશે

  • May 27, 2026 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો કંપની દ્રારા રોપ વેનુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે લાખો ભાવિકો રોપવેની સફર કરે છે વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીના કારણે ગિરનાર રોપવે આગામી તા.૨થી ૧૦ જૂન સુધી બધં રહેશે.ગિરનાર રોપ–વેના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રોપ–વેની કામગીરી અને સુરક્ષાના હેતુથી વાર્ષિક મેન્ટેનન્સ  હાથ ધરવામાં આવનાર છે.
આ મેન્ટેનન્સ કામગીરીને કારણે તા. ૨જૂન થી તા. ૧૦ જૂન સુધી રોપ–વે સંપૂર્ણપણે બધં રાખવામાં આવશે. આઠ દિવસ દરમિયાન મુસાફરો માટે રોપ–વે બુકિંગ બધં રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, તા.૧૧ જૂનથી રોપ–વે  પુન:  કાર્યરત થશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News