ગુજરાત સરકારના રેવન્યુ વિભાગે તલાટીની ભરતીને લઈને બે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. રેવન્યુ વિભાગે આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. હવે તલાટીની ભરતી માટે ઉમેદવાર સ્નાતક હોવો ફરજિયાત છે, પહેલાં ધોરણ 12 પાસ જરૂરી હતું. આ સાથે જ ઉમેદવારોની વય મર્યાદા 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરવામાં આવી છે.
રેવન્યુ વિભાગે રીક્રુટમેન્ટ રુલ્સમાં ફેરફાર કરીને આ સુધારા કર્યા છે. આ ફેરફારથી તલાટીની ભરતીમાં વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક મળશે અને વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે અરજી કરવાની તક મળશે.
આ ફેરફારથી તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પોતાની તૈયારીમાં બદલાવ લાવવો પડશે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ અને વધેલી વય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ તૈયારી કરવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech