રાજકોટ શહેરના કાયદા-વ્યવસ્થાના માળખાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ પોલીસ સ્ટેશન કે બ્રાન્ચમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા કર્મચારીઓને બદલીને તંત્રમાં નવી ઊર્જા ઉમેરાશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કાયદા-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને વહીવટી સુધારાના ભાગરૂપે આજે વધુ ૪૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવાનો હુકમ કર્યો છે. એક જ સ્થળે કે પોલીસ સ્ટેશનમાં સતત ૩ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની યાદી તૈયાર કરીને આ બદલીઓ કરવામાં આવી છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન સ્થળેથી છૂટા થઈ નવી જગ્યાએ હાજર થવા કડક ફરમાન કરવામાં આવ્યું છે.