છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં માવઠાનો અને અત્યારે રેગ્યુલર વરસાદ પડી રહ્યો છે. તોફાની પવન વીજળી અને ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની સત્તાવાર જાહેરાત રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલી મિટિંગમાં કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવાથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અન્ય વિભાગો અને પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગ કરીને રાહત બચાવ અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.
એનડીઆરએફની બાર ટીમ દ્વારા રેસ્ક્યુ
પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એનડીઆરએફની બાર ટીમ વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત એસડીઆરએફની ટીમને 20 જિલ્લામાં મોકલવામાં આવી છે.
139 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી પશુપાલન ઉર્જા માર્ગ મકાન આરોગ્ય પંચાયત શહેરી વિકાસ સિંચાઈ સરદાર સરોવર નિગમ અને જુદા જુદા વિભાગના અધિકારીઓને સતર્ક રહેવા અને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે કુલ 249 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 139 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમવડી ચોકડી નજીક બાપા સીતારામની મઢુલી અને ભીમનગરમાં માતાજીની ડેરીનું મધરાતે ડિમોલિશન
June 18, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech