મહાજન ટ્રસ્ટ તથા હરસિદ્ધિ ગરબા મંડળનું સુંદર આયોજન
ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓના સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત શ્રી હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માતાજીની આરાધના કરે છે.
આગામી તારીખ 12 સુધીના આ પરંપરાગત આયોજનમાં 5 થી 12 વર્ષ સુધીની રઘુવંશી બાળાઓ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ આયોજનમાં દરરોજ જલારામ બાપાના રાસ, માતાજીના સુંદર પહેરવેશ સાથે જુદા જુદા રાસ, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સમગ્ર આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળની સમગ્ર ટીમ દ્વારા લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ સુચારું આયોજનમાં અન્ય સ્થળોએથી પણ લોકો ગરબાને ઓનલાઈન નિહાળી શકે તે માટે ટેકનોલોજીનો સહારો લઇને યુ-ટ્યુબ લાઈવ પણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech