રાજયભરમાં સરકારી તથા ગ્રાન્ટેડ સ્કુલોમાં બાળકો વિધાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટ્રિક આહાર મળી રહે તે માટે આજથી રાજકોટ જિલ્લ ામાં મુખ્યમંત્રી પૌષ્ટ્રિક અલ્પાહાર યોજનાનો કલેકટર પ્રભવ જોષીએ આરભં કરાવ્યો હતો. રાજકોટ જિલ્લ ામાં ૮૭૫ કેન્દ્રો પર ૧.૩૦ લાખ વિધાર્થીઓને પૌષ્ટ્રિક આહાર પીરસવામાં આવશે.
આ યોજનાનો આજે માધાપર પ્રાથમીક શાળામાં કલેકટરે આરભં કરાવ્યો હતો અને તેમણે જ બાળકોને નાસ્તો પીરસ્યો હતો. આ યોજના થકી શીંગદાણાની સુખડી, ચણા ચાટ, મીકસ કઠોળ ચાટ સહિતનો સોમથી શુક્રવાર સુધી અલગ અલગ નાસ્તો આપવામાં આવશે. જેમાં સોમ, બુધ અને શનિવારે સુખડી, ખાંડેલા શીંગદાણામાંથી બનેલો નાસ્તો તથા મંગળ, ગુરૂ અને શુક્રવારે ચણા ચાટ, મીકસ કઠોળ ચાટ નાસ્તામાં અપાશે.
જિલ્લ ા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીના જણાવ્યા મુજબ સવારની સ્કુલના બાળકોને પ્રાર્થના સમયે તથા બપોરના સમયે સ્કુલ સમયના બાળકોને મધ્યાહન ભોજન બાદ પૌષ્ટ્રિક નાસ્તો અપાશે. આજના મુખ્યમંત્રી પૌષ્ટ્રિક અલ્પાહાર યોજના આરભં કાર્યક્રમમાં આસિ. કલેકટર મહેક જૈન, મામલતદાર મકવાણા, નાયબ જિલ્લ ા પ્રાથમીક શિક્ષણાધિકારી રીનાબેન કલાણી, સ્કુલના પ્રિન્સીપાલ દ્રારકાદાસ હરીયાણી તથા શાળાના શિક્ષકો, સ્ટાફ હાજર રહ્યા હતા. કલેકટરે સંસ્થાપક, રસોઈ કરનારા બહેનોને બાળકોને વ્યવસ્થિત નાસ્તો મળે તે માટે સુચના આપી હતી અને કામગીરી વખાણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech