વાજતે ગાજતે પ્રસ્થાન: પૂર્વ પ્રમુખ ગીરૂભા જાડેજાની ત્રણ દાયકાથી અવિરત રીતે પદયાત્રા
આગામી દિવસોમાં આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રીનો મંગલ પ્રારંભ થનાર છે. ત્યારે કચ્છ ખાતે બિરાજતા પૂજ્ય શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે દર્શન તેમજ પૂજન-અર્ચનના અનન્ય મહાત્મય વચ્ચે અન્ય સ્થળોની જેમ ખંભાળિયા ખાતેથી મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાના મઢ ખાતે ચાલીને પદયાત્રાનું પ્રસ્થાન કર્યું છે
ખંભાળિયાથી કચ્છ માતાના મઢ ખાતે છેલ્લા આશરે ત્રણ દાયકાથી અહીંના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી ગીરીરાજસિંહ ડી. જાડેજા (ગીરૂભા) તેમજ અન્ય શ્રદ્ધાળુ ભક્તો ચાલીને જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળવારે ખંભાળિયામાં આવેલા પૂજ્ય આશાપુરા માતાજીના મંદિરથી કચ્છ ખાતે માતાના મઢ સુધીની પદયાત્રાનો પ્રારંભ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગીરૂભા જાડેજા સાથે અન્ય કેટલાક શ્રદ્ધાળુ ભક્તો પણ પદયાત્રાએ જવા રવાના થયા હતા.
આ અંગે ગીરૂભા જાડેજાએ જણાવ્યું હતું કે ખંભાળિયાથી આશરે 450 કિલોમીટર દૂર માતાના મઢ ખાતે તેઓ વર્ષ 1995 થી અવિરત રીતે જાય છે. આટલું અંતર દૈનિક 60-70 કિલોમીટર કાપીને સાતથી આઠ દિવસમાં તેઓ આ પદયાત્રા પૂર્ણ કરી દે છે. હાલ 78 વર્ષની હોય પણ ગીરૂભા જાડેજાને માતાજીની દયાથી ચાલીને પહોંચવાનો સ્ટેમીના મળી રહે છે. માર્ગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભક્તો પદયાત્રીઓની સેવા કરે છે. ગઈકાલે માતાના મઢ ખાતે પ્રસ્થાન કરી રહેલા પદયાત્રીઓને ભાવભરી રીતે હારતોરા કરીને વિદાય આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech