BREAKING NEWS

મોંઘવારીનો ડામ...રાજકોટમાં પનીર, શ્રીખંડ, મિઠાઈના ભાવમાં કિલોએ રૂ.20નો વધારો થશે, દહીંમાં કિલોએ 10નો વધારો લાગું

  • May 18, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ રાજકોટમાં ડેરીની દુકાનોમાં વેંચાતા છૂટક દૂધમાં ક્વોલિટી અનુસાર પ્રતિ લીટર દીઠ રૂ.બે નો વધારો કરવા નિર્ણય કરી તેનો અમલ તા.૧૬-મેથી શરૂ પણ કરી દેવાયો છે. આ ઉપરાંત દહીંમાં પણ કિલોએ રૂ.૧૦નો ભાવ વધારો કરાયો છે.


વિશેષમાં રાજકોટ ડેરી મર્ચન્ટ્સ એસોસીએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, દૂધના ભાવ વધતા હવે આગામી તા.૧ જૂન ૨૦૨૬થી રાજકોટ શહેરની ડેરીની દુકાનોમાં વેંચાતા પનીર, શ્રીખંડ તથા દૂધની બનાવટની મિઠાઇઓમાં કિલોએ રૂ.૨૦નો વધારો કરવા નિર્ણય કર્યો છે.એસોસિએશનની મિટિંગમાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પોપટભાઈ શિંગાળા, ડિરેક્ટર તેજાભાઇ સાકરિયા, ડિરેક્ટર શૈલેષભાઇ સંખાવરા તેમજ ડિરેક્ટર જગદીશભાઇ અકબરી સહિતના હોદેદ્દારો દ્વારા સર્વાનુમતે ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application