અગાઉ જામનગરની પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા શિક્ષક સામેની રૂ. દસ લાખના ચેક પરત ફરવા અંગેની ફરીયાદ ચાલી જતા કોર્ટ ધ્વારા શિક્ષકને એક વર્ષની કેદની સજા તથા રૂ. દસ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરની પ્રાથમીક શાળા નં.૫૦ માં ફરજ બજાનાર અને હાલમાં અમરેલી જીલ્લા ના પુંજાવદર ગામે પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશકુમાર ભકતીરામ ગોડલીયાને નાંણાની જરૂરીયાત ઉપસ્થિત થતા જામનગરના વેપારી વિપુલભાઈ કાનાણી પાસેથી રૂપિયા દસ લાખ મિત્રતા ના સબંધ દાવે હાથ ઉછી ના લીધા હતા. જે રકમની પરત ચુકવણી માટે આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક બેંક ખાતામાં અપૂરતા નાણા ભંડોળ ના કારણે પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ જામનગરની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના કાયદા તળે ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.
જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ભાસ્કરકુમાર દવે ધ્વારા આરોપી સામેનો કેસ સાબીત માની તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેક માં દર્શાવ્યા મુજબની રકમ રૂપિયા દસ લાખનું વળતર ફરીયાદી ને ત્રણ માસમાં ચુકવી આપવા હુકમ કર્યો હતો. અને જો વળતર ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી વિપુલભાઈ કાનાણી વતી વકીલ સંજયભાઈ દાઉદીયા તથા ભાવીકાબેન જોશી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech