રાજકોટ મધ્યસ્થ જેલમાં જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામના કેદીએ દિવાલ સુધી ભાગવાનો પ્રયાસ કરતા જેલ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ભાગવાના પ્રયાસમાં કેદીને પગમાં ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ કેદી સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની મધ્યસ્થ જેલમાં જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી આદમ ઉર્ફે જાવેદ ઉર્ફે આમદ સીદિકભાઈ સંધિ (ઉ.વ 50 રહે.ભગવતી સોસાયટી દૂધસાગર રોડ, રાજકોટ) ગઈકાલે જેલમાં હતો ત્યારે જેલની મુખ્ય દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બહારના ભાગે પડી જતા જેલના સ્ટાફે તેને પકડી લીધો હતો.
જેલમાંથી ભાગી જવાના પ્રયાસમાં કેદી આદમને પગમાં ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ કરાતા પ્ર.નગર પોલીસના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કર્યા બાદ મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ જેલર ગ્રુપ-2 ના અશોકસિંહ રાઠોડ (ઉ.વ 38) ની ફરિયાદ પરથી કેદી આદમ ઉર્ફે જાવેદ સામે ગુનો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech